રાજય સરકારના કૃષિ મહોત્સવની પરંપરા તુટી, બીજી મેએ કેન્દ્રના કૃષિ મેળા સાથે જ ઉજવણી
મહિના સુધી કૃષિ રથ અને વૈજ્ઞાનિકો ગામેગામ જતા તે હવે ભુતકાળ
રાજકોટ તા.૨૪: રાજય સરકાર દ્વારા દર વર્ષે અખાત્રિજ થી શરુ થતો કૃષિ મહોત્સવ આ વખતે થયો નથી અને થવાના કોઇ ઐધાણ નથી. રાજય સરકારે મોદી મુખ્યમંત્રી હતા તે વખતથી યોજાતો કૃષિ મહોત્સવ આ વખતે યોજવાનું માંડી બીજી મે એ કેન્દ્ર સરકાર દ્વારા યોજાનાર કૃષિ કલ્યાણ મેળાની સાથે જ તેની ઉજવણી કરવાાનું નક્કી કર્યાનું જાણવા મળે છે. કેન્દ્ર સરકારે દરેક રાજયોને તમામ તાલુકા મથકે બીજી મે એ એક દિવસનો કૃષિ કલ્યાણ મેળો યોજવા જણાવ્યું છે. તે મુજબ ગુજરાતના ૨૪૭ તાલુકા મથકોએ કૃષિ મેળો યોજાશે તાલુકા દિઠ સરેરાશ ૫૦૦ ખેડુતોને ભેગા કરીને કૃષિક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે.
રાજય સરકાર દ્વારા ભુતકાળમાં એક-એક મીહનાના કૃષિ મહોત્સવ યોજાતા ગામેગામ કૃષિ રથ ફરતા અને વૈજ્ઞાીનકો ખેતરો સુધી પહોંચતા હતા. આ વખતથી કૃષિ મહોત્સવનું આયોજન પડતું મુકવાનું જાણવા મળે છે.