રાજકોટ
News of Tuesday, 24th April 2018

માજી કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણના અંગત પ્રો. પ્રશાંત ચ્હાવાલા ભાજપમાંથી મુકત કર્યા

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિરૂદ્ધ કામ કરવા બદલ પક્ષનો નિર્ણય

રાજકોટ, તા. ર૪ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીન્ડીકેટ સભ્ય પ્રો. પ્રશાંત ચ્હાવાલાને ભાજપે પક્ષમાંથી તમામ જવાબદારીથી મુકત કર્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારની રજૂઆત ધ્યાને રાખી વિધાનસભા અને નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ વિરૂદ્ધ કામ કરતા કાર્યકતાથી પક્ષમાંથી સસ્પેન્ડ તેમજ પક્ષમાંથી જવાબદારીમાંથી મુકત કરવા  નોટીસ પાઠવી છે.

જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યલયથી એક યાદી બહાર પાડી જેમાં  જિલ્લાના ૧૦ હોદેદારો સહિત તેમજ સાત કાર્યકર્તાઓ ભાજપ પક્ષમાંથી જવાબદારી મુકત કરવા લઇ ૧૦ કાર્યકર્તાઓ નોટીસ આપી પ્રયાસ કર્યા.

ભાજપના કવોટામાં ચૂંટાયેલ પ્રો. પ્રશાંત ચ્હાવાલા માજી કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ ખાસઅંગત છે. તાજેતરમાં સીન્ડીકેટનીની ચૂંટણીને ધ્યાને રાખી બારોટ જુથ સાથે સીમલા સહેલગાહે ગયેલ. પ્રો. પ્રશાંત ચ્હાવાલાને હવે ભાજપે જવાબદારી મુકત કરતા શિક્ષણ જગતમાં ભારે ચર્ચાય છે. (૮.૧૮)

(4:34 pm IST)