News of Tuesday, 24th April 2018
દહીંસરાના અરવિંદ કોળીનો ઝેર પી આપઘાત
વિંછીયાના નાના માત્રામાં આશા દેવીપૂજક દાઝી ગઇ
રાજકોટ તા. ૨૪: જસદણના દહીંસરા ગામે રહેતો અરવિંદભાઇ રાઘવભાઇ સોસા (ઉ.૨૮) નામનો કોળી યુવાન વાડીએ ઝેરી દવા પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રાથમિક કાગળો કરી જસદણ પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરાઇ છે. વિંછીયાના નાના માત્રા ગામે રહેતી આશાબેન મનસુખ તલસાણીયા (ઉ.૩૧) નામની દેવીપૂજક પરિણીતા રાત્રીના દાઝીજતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. લગ્ન દસ વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં છ પુત્ર છે. વિંછીયા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
(4:05 pm IST)