બુધવારે સદરમાં મદ્રેસાએ ફૈઝે મુહમ્મદીનું ઉદ્દઘાટન
સૈયદ દાદાબાપુની ઉપસ્થિતિમાં સમાધાન અને વ્યસનમુકિત ત્થા ઇનામ વિતરણનો કાર્યક્રમ
રાજકોટ તા. ર૩ : સૈયદ મુહંમદ અતીકબાપુ કાદરી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા સદર જુમ્આ મસ્જીદના મદ્રેસા પાસે બુધવારે રાત્રે ૧૦ વાગ્યે મદ્રેસાએ ફૈઝે મુહંમદીનો ઉદ્દઘાટન સમારોહ યોજવામાં આવ્યો છે.
જેમાં ખાસ કરીને પીરે તરીકત સૈયદ દાદાબાપુ કાદરી (સાવરકુંડલા) ઉપસ્થિત રહી તેઓ દ્વારા ચાલી રહેલા અભિયાન અંતર્ગત કેટલાક ઝઘડાઓનું સમાધાન કરાવશે અને અનેક લોકોને વ્યસન મૂકિત કરાવશે.
આ તકે મદ્રેસાના ર૦૦ જેટલા બાળકોનો કાર્યક્રમ યોજાયો છે જેમાં ઇનામ વિતરણ પણ કરશે બિસ્મિલ્લાહ કમીટીના સમર્થનમાં હાફીઝ મુહંમદ અકરમની દેખરેખમાં આ કાર્યક્રમમાં સૌને હાજરી આપવા અલરઝા ગ્રુપ દ્વારા જણાવાયું છ.ેઆ પ્રસંગે ફબ્રેગુવરાત મૌલાના હાફિઝ ઇદરીસખાન કબાલા સિનોરા તકરીર કરશે અને સાદાતો ઉલેમાઓ વિગેરે હાજરી આપનાર છે.