News of Wednesday, 24th March 2021
કરૂણા ફાઉન્ડેશનની ટીમ કર્ણાટકની મુલાકાતે
પશુ સારવારનુ કામ કરતી અને સર્વશ્રેષ્ઠ સંસ્થાનો એવોર્ડ મેળવી ચુકેલ કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇનની ટીમ તાજેતરમાં કર્ણાટકની મુલાકાતે ગઇ હતી. ગૌવંશ હત્યા પ્રતિબંધ ધારો લાગુ કરવા બદલ બેંગ્લોર વિધાનસભા ભવનમાં પશુપાલન મંત્રી પ્રભુ ચવાણને મળી અભિવાદન કર્યુ હતુ. સાથો સાથ ત્યાના રાજયપાલ વજુભાઇ વાળાની પણ મુલાકાત લઇ જીવદયા પ્રોજેકટ વિષે વિસ્તૃત ચર્ચા કરી હતી. શ્રીશ્રી રવિશંકર મહારાજના આશીર્વાદ પણ મેળવ્યા હતા. આ પ્રતિનિધિ મંડળમાં રમેશભાઇ ઠકકર, ધીરેન્દ્રભાઇ કાનાબાર, પ્રતિકભાઇ સંઘાણી, અમર તલવરકર, બેંગ્લોરની ગૌશાળાના ટ્રસ્ટી સુનિલ દુગ્ગર, ત્યાના સ્થાનિક મીડિયા કર્મી નારાયણપ્રસાદ વગેરે સાથે જોડાયા હતા.
(4:13 pm IST)