રાજકોટ
News of Wednesday, 24th March 2021

મોંઘીબેન ડેલાવાળા પરિવાર દ્વારા છાકલીલા અને ફુલફાગનો મનોરથ

રાજકોટ : મોંઘીબેન કસ્તુરચંદ ડેલાવાળા પરિવાર દ્વારા શહેરની ભાગોળે શ્રી નાથજી ફાર્મ ઉપર છાક લીલા અને ફૂલ ફાગનો મનોરથ કરવામાં આવ્યો હતો. ડેલાવાળા પરિવારના સભ્યો અને અન્ય મહાનુભાવોએ રંગબેરંગી ફૂલો અને અબીલ ગુલાલથી હોળીનો ઉત્સવ મનાવ્યો હતો. આ વિવિીધ ક્ષેત્રના મહાનુભાવો સર્વશ્રી અંજલીબેન વિજયભાઇ રૂપાણી, મેયર પ્રદીપભાઇ ડવ, સંસદ સભ્ય રામભાઇ મોકરીયા, ગુજરાત ભાજપના નીતીનભાઇ ભારદ્વાજ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર,  ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, ડેપ્યુટી મેયર દશીતાબેન શાહ, ભાનુબેન બાબરીયા, બીનાબેન આચાર્ય, બાન લેબ્સના મોલેશભાઇ પટેલ, સ્મિતભાઇ પટેલ, ખોડીદાસભાઇ પટેલ, જગદીશભાઇ ડોબરીયા, શીવલાલ રામાણી, પુજારા ટેલીકોમના યોગેશભાઇ પુજારા, સિઝન્સ હોટલના વેજાભાઇ રાવલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ડો. ચંદાબેન શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે છાકલીલા મનોરથ સાથે રસિયા હોળીના કીર્તન અને ફુલફાગ પણ યોજાયા હતા. ફુલફાગમાં અવનવા ફૂલોથી ભગવાનને હોળી રમાડવામાં આવ્યા હતાં. રાજકોટ કીર્તન મંડળીના પ્રમુખ હસમુખભાઈ ડેલાવાળા અને તેમની ટીમે કીર્તન ગાઈને જમાવટ કરી હતી. કાર્યક્રમમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તથા તેમના ભાઈઓ સર્વશ્રી ડાહ્યાભાઈ ડેલાવાળા, પ્રવિણભાઇ ડેલાવાળા અને હસમુખભાઈ ડેલાવાળા અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

(3:11 pm IST)