News of Wednesday, 24th March 2021
પગના દુઃખાવાથી ત્રાસી ગયેલા બાલાજી પાર્કના રેખાબેને જિંદગીથી છેડો ફાડ્યો
રાજકોટ તા. ૨૪: ગોંડલ રોડ પીરવાડી રીંગ રોડ પાસે બાલાજી પાર્કમાં શ્રીરામ એન્ટરપ્રાઇઝવાળી શેરીમાં રહેતાં રેખાબેન વિનોદભાઇ કાચા (ઉ.વ.૫૫)એ ઝેરી દવા પી જિંદગીથી છેડો ફાડી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
રેખાબેને ગઇકાલે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર રેખાબેનને સંતાનમાં બે પુત્ર છે.
તેમના પતિ અગાઉ છુટક કામ કરતાં હતાં. લોકડાઉન બાદ નિવૃત જીવન જીવે છે. તેમણે કહ્યું હતું કે પત્નિને લાંબા સમયથી પગમાં દુઃખાવાની તકલીફ હતી. અનેક ડોકટરોની દવા સારવાર કરાવવા છતાં ફરક પડતો ન હોઇ કંટાળી જઇ તેણે આ પગલુ ભર્યુ હતું.
(12:55 pm IST)