News of Tuesday, 24th March 2020
રાજકોટની યાત્રાળુ બસને નાસીક -સીનર પાસે અટકાવી
ત્રણ-ત્રણ રાજયોમાં લોકડાઉનને કારણે બસને અટકાવવામાં આવેલ : ગોવિંદભાઇ પટેલે સતત સહાય કરી
નાસીકથી ૨૦ કી.મી. સીનર ટોલનાકા પાસે રાજકોટની બાલાજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની યાત્રાળુ બસને અટકાવવામાં આવી છે. જયોતિલીંગના દર્શન કરી યાત્રાળુઓ રાજકોટ પરત ફરી રહયા હત ા. ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલનો સંપર્ક કરવામાં આવી રહયો છે. ટ્રાફીક જામ થયાના પણ અહેવાલ મળે છે. (કાર્તિક બાવીશી-વલસાડ દ્વારા) આવી ત્રણ બસો અટકાવી છે. દરમિયાન શ્રી ગોવિંદભાઇ પટેલનો સંપર્ક સાધતા તેમણે અકિલાને જણાવેલ કે છેલ્લા ત્રણ દિવસમાં તામીલનાડુ-કર્ણાટક અને મહારાષ્ટ્ર (સીનોર-નાસીક) એમ ત્રણ રાજયોમાં આ બસને અટકાવી હતી. અને બધી વ્યવસ્થા કરી આપી છે. આ બસો રાજકોટ આવવા નિકળી ગઇ છે.
(5:32 pm IST)