News of Saturday, 24th March 2018
રામનાથપરા હાથીખાનામાં મુઝફર મંડલનો ગળાફાંસો ખાઇ આપઘાત
રાજકોટ, તા. ર૪ : રામનાથપરા હાથીખાનામાં રહેતા બંગાળી વેપારીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મ ુજબ હાથીખાના શેરી નં. ૧પમાં રહેતા અને સોનીબજારમાં દુકાન ધરાવતો મુઝફર અબ્દુલભાઇ મંડલ (ઉ.વ.રપ) એ પોતાના ઘરે પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. જાણ થતા ૧૦૮ની ટીમ સ્થળ પર પહોંચી ઇમોમટી ચીરાગભાઇ પરમારે તેનું મોત નિપજયું હોવાનું જાહેર કર્યુ હતું. જાણ કરતા એ-ડીવીઝન પોલીસમ થકના પીએસઆઇ રાઠવા તથા રાઇટર પ્રવિણભાઇએ તપાસ આદરી છે. (૯.૧૬)
(4:48 pm IST)