ગોપાલનગરમાં દુકાન પાસે બાઇક પાર્ક કરવા બાબતે કૈલાશભાઇ પટેલ પર હુમલો
બાજુમાં દુકાન માલીક મોહીત દાવડા સામે ફરીયાદ
રાજકોટ, તા., ર૪: ગોપાલનગરમાં પટેલ વેપારીનું બાઇક ખસેડવા બાબતે બોલાચાલી થયા બાદ બાજુની દુકાન ધરાવતા વેપારીઓ લોખંડની ખુરશી ફટકારી દેતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ઢેબર રોડ નારાયણનગર શેરી નં. ૩ માં રહેતા કૈલાશભાઇ ઉકાભાઇ કણસાગરા (ઉ.વ.પ૬) ગઇકાલે ગોપાલનગર શેરી નં. ૧૪ માં પોતાની જનતા પ્રોવીઝન સ્ટોર નામની દુકાને હતા અને પોતે તેનું બાઇક દુકાનની સામે પાર્ક કર્યુ હતું.
દરમ્યાન પોતાની બાજુમાં ફલોરમીલ ચલાવતા મોહીત રણજીતભાઇ દાવડા (રહે. લક્ષ્મીવાડી કવાર્ટર) એ કૈલાશભાઇનું બાઇક હટાવી વૃધ્ધા કંચનબેનના ઘર પાસે રાખી પોતાનું બાઇક પાર્ક કરતા વૃધ્ધા કંચનબેન મોહીતને સમજાવવા જતા તે ઉશ્કેરાઇ જતા કૈલાશભાઇ પણ તેને સમજાવવા જતા મોહીતે પોતાની દુકાનમાંથી લોખંડની ખુરશી લાવી માથામાં ફટકારી દીધી હતી. દેકારો બોલતા મોહીત ભાગી ગયો હતો. આ અંગે પટેલ વેપારીએ ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ આર.સી.રામાનુજે તપાસ આદરી છે.(૪.૧૩)