રાજકોટ
News of Wednesday, 24th February 2021

સ્વર્ગસ્થ મોટાભાઈની અંત્યેષ્ઠીના માત્ર ચાર જ કલાકમાં કોટકબંધુઓ ચૂંટણીકાર્યમાં લાગી ગયા

જનકભાઈ તથા પ્રતાપભાઈ કોટકે રાષ્ટ્રધર્મનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું

રાજકોટ, તા. ૨૪ :. રાજકોટના પૂર્વ મેયર શ્રી જનકભાઈ કોટક તથા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રતાપભાઈ કોટકના મોટાભાઈ સ્વ. વસંતરાય મોરારજીભાઈ કોટકનું ગત શુક્રવારે રાત્રે દુઃખદ અવસાન થયેલ હતું. સ્વર્ગસ્થની અંતિમયાત્રા શનિવારે સવારે ૯.૦૦ કલાકે નિકળી હતી. અંત્યેષ્ઠી લગભગ બપોરે ૧૨ વાગ્યે પૂર્ણ થયા બાદ બન્ને કોટકબંધુઓ માત્ર ચાર કલાક જેવા ટૂંકા સમયમાં સાંજે ચાર વાગ્યાથી પોતાનો રાષ્ટ્રધર્મ માનીને ભાજપ તરફી ચૂંટણીકાર્યમાં લાગી ગયા હતા.

મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન તા. ૨૧-૨-૨૧ રવિવારના રોજ ૬ વાગ્યે પૂર્ણ થયું ત્યાર બાદ સાંજે ૭ વાગ્યા સુધી જનકભાઈ તથા પ્રતાપભાઈ કોટક સતત ચૂંટણીકાર્યમાં વ્યસ્ત રહ્યા હતા જે તેઓ બન્નેની પક્ષ પ્રત્યેની વફાદારીના દર્શન કરાવે છે. ચૂંટણીકાર્ય પૂર્ણ કરીને ફરીથી તેઓ કૌટુંબીક કાર્યોમાં વ્યસ્ત બન્યા હતા અને જવાબદારીઓને સુપેરે બેલેન્સ કરી હતી.

(3:52 pm IST)