રાજકોટ
News of Wednesday, 24th February 2021

અવંતીભાઇ લોધી હોલના બુકીંગ રદ થતાં કોંગ્રેસની વધુ એક રજુઆત

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં. ૭ માં આવેલ અવંતીબાઇ લોધી હોલનાં મે મહીનાના બુકીંગ તંત્રએ રદ કરી નાખતા આજે કોંગ્રેસના આગેવાનો રણજીત મુ઼ધવા અને કેતન  ગરીયાએ અરજદારોને સાથે રાખી હોલ બુકીંગ કરાવનારા લોકોએ કંકોત્રી પણ છપાવી લીધી હોઇ આ હોલના બુકીંગ રદ નહી કરવા અધિકારીને આવેદન પાઠવી રજુઆત કરી હતી તે વખતની તસ્વીર. રજુઆતમાં જણાવેલ કે આરોગ્ય કેન્દ્રના રીનોવેશન માટે અવંતીબાઇ હોલમાં આરોગ્ય કેન્દ્રનું સ્થળાંતર કરવાના હેતુથી હોલનું બુકીંગ રદ કરાયું છે. ત્યારે આરોગ્ય કેન્દ્રનું રીનોવેશન લગ્નગાળા પુરતુ સ્થગીત કરાવી અને હોલના બુકીંગ રદ કરવાનો નિર્ણય ફેરવવા માંગ ઉઠાવાઇ છે. નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ પણ રણજીત મુંધવા અને કેતન ઝરીયાએ આ બાબતે રજુઆત કરેલ  છતાં ઉકેલ નહી આવતા આજે ફરી રજુઆત કરેલ. છતા ઉકેલ નહી આવતા આજે ફરી રજુઆત કરવામાં આવી હતી.

(3:49 pm IST)