News of Wednesday, 24th February 2021
જનાર્ધન પાર્કમાં પેટમાં ગાંઠ અને ડાયાબીટીસની બીમારીથી કંટાળી વૃધ્ધા લીલાબેનનો આપઘાત
રાજકોટ તા. ૨૪ : કોઠારીયા ગામ સામે જનાર્ધન પાર્કમાં પેટમાં ગાંઠ અને ડાયાબીટીસની બીમારીથી કંટાળી વૃધ્ધાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગત મુજબ કોઠારીયા ગામ સામે જનાર્ધન પાર્કમાં રહેતા લીલાબેન નાથાભાઇ સાકરીયા (ઉ.૬૧) એ ગઇકાલે પોતાના ઘરે ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી લેતા બેભાન થઇ જતા તેને સારવાર માટે લોટસ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતક લીલાબેનને સંતાનમાં બે પુત્ર છે. તેણે પેટમાં ગાંઠ અને ડાયાબીટીસની બીમારીથી કંટાળી આ પગલુ ભર્યું હોવાનું ખુલ્યું છે.
આ અંગે આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ. વિનોદભાઇ અને રાઇટર કીરીટભાઇ રામાવતે તપાસ હાથ ધરી છે.
(2:40 pm IST)