નાલંદા ઉપાશ્રય ખાતે
પૂ. ઇન્દુબાઇ મ.સ.ની ૭૦ તથા પૂ. સોનલબાઇ મ.સ.ની ૩૯મી દીક્ષા જયંતી ઉજવાઇ : સોનલવર્ણો સમારોહ સંપન્ન
રાજકોટ તા. ૨૪ : ગોં. સંપ્રદાયનાં સૌરાષ્ટ્રના સિંહણ વચન સિધ્ધીકા , તીર્થ સ્વરૂપા , ભગવાન તુલ્ય પુ. શ્રી ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામ (નાલંદા ઉપાશ્રય)માં આજે તા. ૨૪ ના બુધવારના રોજ પુ. શ્રી ઈન્દુબાઈ મહાસતીજીની ૭૦ મી દીક્ષા જયંતિ તથા સ્વર કીન્નરી બા.બ્ર પુ. શ્રી સોનલબાઈ મહાસતીજીના ૩૯મી દીક્ષા જયંતિ પ્રસંઞની ભવ્યાતિભવ્ય ઉજવણી સાથે સોનલવર્ણો સમારોહ (સાધર્મિક જૈનબંધુઓ માટે માનવરાહત) સમ્પન્ન થયેલ.
આજે દરેક સાધર્મિક બંધુઓને સવારે ૭.૩૦ વાગ્યે સુપર નવકારશી કરાવવામાં આવી. બાદમાં સોનલ સદાવ્રતમાં સુધાબેન કનુભાઈ બાવીસીની પુણ્યતિથી તથા દિલાવર દાતાઓ તરફથી ૨૫૦ કુટુંબોને જીવન જરૂરિયાતની વિવિધ ૧૧ વસ્તુઓનું તથા બારમાસી મસાલા વિતરણ કરવામાં આવ્યું. તેમજ રોકડ રૂપિયા ૨૦ની પ્રભાવના પણ કરાઈ હતી.
આ પ્રસંગે દાતાઓ, આગેવાનો, શ્રેષ્ઠીવર્યો, સંઘના પદાધિકારીઓ, સોનલ સેવા મંડળના બહેનો, જંકશન યુવક મંડળની સેવા ટીમ ઉપસ્થિત રહી. દરેકે પૂજય મહાસતીજીને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.