સોરઠીયા રજપૂત સમાજનો નિઃશુલ્ક પસંદગી મેળો
સોરઠીયા રજપૂત સમાજ દ્વારા માર્ચમાં આયોજન : ફોર્મ ભરી દેવા
રાજકોટ, તા. ૨૪ : સોરઠીયા રાજપૂત સમાજ - રાજકોટ આયોજીત નિઃશુલ્ક પસંદગી મેળો તા.૮ માર્ચના રોજ યોજાશે.
પૂ.દેશળભગત વિરલ વિભૂતિ પૂ.સંપૂર્ણાનંદજી બાપુ તથા મહામુકતરાજ સંત પૂ.દેવુ ભગતની પ્રેરણાથી સોરઠીયા રાજપૂત સમાજના દીકરા - દીકરી કે જેઓ ધો.૧૨ કે તેથી ઉચ્ચ અભ્યાસ ધરાવતા હોય તેમના માટે એક જ જગ્યાએ પસંદગીની વધુ તક મળી રહે, સમાજમાં બિનજરૂરી ખર્ચા ઉપર નિયંત્રણ રહે અને સ્વમાનભેર સમાજના દિકરા - દિકરી પોતાના મનચાહા જીવનસાથી પસંદગી કરી શકે તેવા ઉમદા હેતુસર સમાજનું સમાજને અર્પણ તેવી ઉદાર ભાવનાથી નિઃશુલ્ક પસંદગી મેળાનું આયોજન તા.૮ માર્ચને રવિવારના રોજ સોરઠીયા રાજપૂત સમાજ ભવન ૧ દિપક સોસાયટી ગાંધીગ્રામ - રાજકોટ ખાતે બપોરના ૨ થી ૬ દરમિયાન યોજાશે.
ફોર્મ તેમજ વિશેષ માહિતી તથા માર્ગદર્શન માટે સમિતિના મુકુન્દભાઈ રાઠોડ મો.૭૩૮૩૭ ૫૨૮૨૦, પ્રતાપસિંહ ચૌહાણ મો. ૯૪૨૭૪ ૯૭૬૮૩, ઈલાબેન ખેર મો. ૯૮૯૮૩ ૩૮૪૦૦ દેવાંગ ડોડીયા મો. ૭૮૭૮૧ ૭૦૭૧૭નો સંપર્ક સાધવા જણાવાયુ છે.
સોરઠીયા રાજપૂત સમાજ - રાજકોટના પ્રમુખ વિજયભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ આયોજીત આ કાર્યક્રમને સફળ બનાવવા ઈલાબેન ખેર, પદ્માબેન ડોડીયા, નયનાબેન રાઠોડ, જયોતિબેન ચાવડા, મીતાબેન ડોડીયા, અશ્રિતા ભટ્ટી, નિરૂબેન રાઠોડ, અરવિંદભાઈ ચૌહાણ, મુકુંદભાઈ રાઠોડ, પ્રતાપભાઈ ચૌહાણ, દેવાંગભાઈ ડોડીયા, આકાશભાઈ ચૌહાણ, ભાર્ગવભાઈ પઢીયાર, દિવ્યેશભાઈ પરમાર, વિમલભાઈ હાડા, મીલન રાઠોડ, નિલેશભાઈ સોલંકી, વિજયભાઈ ચૌહાણ, રાજેશભાઈ દલ, શ્યામલભાઈ રાઠોડ, વિરેન ડાભી, ચિરાગ પરમાર, અભય ચૌહાણ, અતુલભાઈ રાઠોડ, શૈલેષભાઈ ચૌહાણ, અજય પરમાર અને અલ્પેશ ગોહીલ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)