News of Friday, 24th January 2020
અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ધાબળા અને ઘાસનું વિતરણ
રાજકોટઃ રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી અર્ર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા પાંજરાપોળના અબોલ જીવો માટે સુકુ ઘાસ ત્રણા ગાડી કડબ અને મકાઇ (૬૫૦ મણ) ની આપવામાં આવી હતી. ઉપરાંત હાલમાં પડી રહેલી કડકડતી ઠંડીમાં અસહાય લોકોને ઠંડી સામે રક્ષણ મળી રહે એ માટે સ્લમ એરીયાના અને ફુટપાથ પર સુઇ રહેતા લોકોને ૫૦૦ જેટલા તથા રાજકોટની જિલ્લા જેલના કેદીઓને ૨૨૦ જેટલા અને રાજકોટ મહાજન પાંજરાપોળ અને મા ગૌરી ગૌશાળાના કર્મચારીઓને આશરે ૧૦૦ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. સાથો સાથ પાંજરાપોળ અને મા ગૌૈરી ગૌશાળાના કર્મચારીઓને ચીકીના પેકેટનું પણ વિતરણ કરાયેલ.
(4:36 pm IST)