પ્રજાસતાક પર્વ અંતર્ગત રેલ્વે એમ્પલોઇઝ યુનિયન દ્વારા રકતદાન
રાજકોટઃ વે.રેલ્વે રાજકોટ ડીવીઝનના ડીઆરએમ ઓફીસના સેવાભાવી કર્મચારીની યાદી જણાવે છે કે તા.રર-૧-ર૦ર૦ને બુધવારના રોજ રેલ્વે હોસ્પીટલ રાજકોટ ખાતે રકતદાન કેમ્પનંુ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજયના ૭૧માં પ્રજાસતાક દિવસની ઉજવણી રાજકોટ શહેરમાં મુખ્ય મંત્રી દ્વારા કરવામાં આવવાની હોઇ આ નિમિતે રાજકોટ શહેર અને ગ્રામ્ય દ્વારા ૭૧૦૦ બોટલ રકત ભેગું કરવાનું સેવાકીય આયોજન કરેલ છે. આ પ્રસંગને મદદરૂપ થવા ડીઆરએમ રાજકોટ દ્વારા આ કેમ્પનું આયોજન કરી સર્વ કર્મચારી ભાઇ-બહેનોને રકતદાન કરવા ડીઆરએમની અપીલ છે. બપોર ૧ર વાગ્યા સુધી બહોળી સંખ્યામાં રકતદાન થયેલ છે. આ પ્રસંગે રાજકોટ ડીઆરએમ ઓફીસના સેવાભાવી કર્મચારી રાજેશ વી.મહેતા દ્વારા ૬૭ મી વખત રકતદાન કરવામાં આવેલ છે. શ્રી મહેતા વે.રેલ્વે એપ્લોઇઝ યુનિયન વે.રેલ્વે મજદુર સંઘ, ઓબીસી, એસસીએસટી તથા આરપીએફ એસોસીએશન દ્વારા સહકાર મળેલ છે. તેમ સીએમએસ શ્રી શર્માએ જણાવ્યું છે.