મ્યુ.કોર્પોરેશન દ્વારા નારી સંમેલન યોજાયુઃ અંજલીબેન દ્વારા દીપ પ્રાગટય
રાજકોટઃ ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજય કક્ષાની ઉજવણી અંતર્ગત રાજકોટ ખાતે થઇ રહેલ હોઈ, જે અંતર્ગત ગુજરાત રાજય મહિલા આયોગ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહિલાઓના સામાજીક પ્રશ્નોના નિરાકરણ અંતર્ગત નારી અદાલતની સમજ/મહિલા સશકિતકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી મળી રહે તેવા શુભ હેતુથી 'નારી સંમેલન'નું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પ્રેરણાદાયી ઉપસ્થિત તરીકે મેયર બિનાબેન આચાર્ય તથા અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા તથા મુખ્ય મહેમાન તરીકે જાણીતા એડવોકેટ જાગૃતિબેન દવે તથા જાણીતા તબીબ ડો.દર્શનાબેન પંડયા ઉપસ્થિત રહેલ, તેમજ આ પ્રસંગે શીશુ કલ્યાણ અને અગ્નિશામકદળ કમિટી ચેરમેન રૂપાબેન શીલુ રાજકોટ મહાનગરપાલિકાના ડે.કમિશનર શ્રી પ્રજાપતિ તથા બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહેલ.