શાપર-વેરાવળમાં રસોઇ બનાવતા દાઝી જતા દૂધીબેન રાજપરાનું મોત
રાજકોટ તા. ર૩ :.. શાપર-વેરાવળમાં રસોઇ બનાવતી વખતે દાઝી જતા પટેલ વૃધ્ધાનું રાજકોટ સીવીલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું છે.
મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં રહેતા દૂધીબેન ગોકળભાઇ રાજપરા (ઉ.૮પ) ગઇકાલે પોતાના ઘરે રસોઇ બનાવતા હતાં. ત્યારે અકસ્માતે દાઝી જતા તેને સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક દૂધીબેનને સંતાનમાં ચાર પુત્ર અને ચાર પુત્રી છે. આ અંગે શાપર પોલીસે તપાસ આદરી છે.
રસોઇ બનાવતાં ગીતાબેન દાઝયા
બેડી હડમતીયા ગામમાં રહેતા ગીતાબેન ભાવેશભાઇ મકવાણા (ઉ.૪૦) ગઇકાલે પોતાના ઘરે રસોઇ બનાવતા હતા ત્યારે દાઝી જતા તેને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે કુવાડવા રોડ પોલીસે તપાસ આદરી છે.
કોળી મહિલાનો સળગી આપઘાત
સુરેન્દ્રનગરના દાળમીલ રોડ પર રહેતા સોનલબેન ભરતભાઇ કોળી (ઉ.૩૪) ગઇકાલે પોતાના ઘરે કોઇ કારણસર કેરોસીન છાંટી સળગી જતા તેને સારવાર માટે રાજકોટની સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે હોસ્પિટલ ચોકીના હેડ કોન્સ. રાણાભાઇ ચીહલાએ પ્રાથમિક કાગળો કરી સુરેન્દ્રનગર મોકલ્યા છે.