શૌચાલય સંચાલકની હત્યામાં ફરાર આરોપીઓ હાથવેંતમાં
રાજકોટઃ શહેરના ૮૦ ફુટ રોડ પર શેઠ હાઇસ્કૂલ સામેના ભાગે આવેલા શૌચાયલના સંચાલક પ્રદિપ રાજેન્દ્રસિંહ કુશવાહા (ઉ.૨૧)ની હત્યા કરી આ શૌચાલયનો કર્મચારી રાજૂ મિશ્રા તથા સાથેનો શખ્સ ધીરજ (રહે. બંને બિહાર) ફરાર થઇ ગયા હતાં: શૌચાલયના હિસાબમાં કર્મચારી રાજૂ ઉર્ફ રાજીવ ગોલમાલ કરતો હોઇ તે બાબતે સંચાલક પ્રદિપે ઠપકો આપતાં કાવત્રુ ઘડી રાજૂ અને ધીરજે પ્રદિપની હત્યા કરી લાશને શૌચાલયના જ બાથરૂમમાં મુકી દઇ માથે તાળુ મારી દીધું હતું અને બાદમાં બંને ભાગી ગયા હતાં: ૨૦મીએ આ ઘટના જાહેર થયા બાદ ભકિતનગર પોલીસે ગુનો નોંધ્યો હતોઃ ઉચ્ચ પોલીસ અધિકારીઓની રાહબરી હેઠળ ક્રાઇમ બ્રાંચની એક ટીમ ચોક્કસ બાતમીને આધારે તપાસાર્થે અમદાવાદ તરફ રવાના થઇ હતીઃ દરમિયાન મોડી બપોરે આરોપીઓ હાથવેંતમાં હોવાનું આધારભુત સુત્રોમાંથી જાણવા મળ્યું છે