રાજકોટ
News of Tuesday, 23rd October 2018

શાસ્ત્રી મેદાનમાં ફેંકી દેવાયું મૃત બાળાનું ભૃણ

પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ આદરી

રાજકોટ તા. ૨૩: કોઇ અજાણી સ્ત્રીએ જન્મ છુપાવવાના ઇરાદે મૃત બાળકીના સાડા ચારથી પાંચ માસના ભૃણને શાસ્ત્રી મેદાનમાં ફેંકી દેતાં પોલીસને જાણ થતાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શાસ્ત્રી મેદાનમાં કોઇએ મૃત ભૃણ ફેંકી દીધાની જાણ પીએસઆઇ એસ. વી. સાખરા મારફત થતાં એ-ડિવીઝનના પીએસઆઇ વી.એમ. ડોડીયા, એએસઆઇ ડી. બી. ખેર, કોન્સ. મોૈલિકભાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે તપાસ કરતાં મેદાનના ખુણા પાસે તાજી જન્મેલી મૃત બાળકી જોવા મળી હતી. આ મામલે પોલીસે અજાણી સ્ત્રી અથવા તેના વાલી કે લોહીની સગાઇ ધરાવતાં વ્યકિત સામે આઇપીસી ૩૧૮ મુજબ બાળકીનો જન્મ છુપાવવાના ઇરાદે આશરે સાડા ચારથી પાંચ માસના ગર્ભ-ભૃણને ત્યજી દીધાનો ગુનો નોંધી આરોપીને શોધી કાઢવા તજવીજ શરૂ કરી છે. (૧૪.૫)

(11:51 am IST)