વોર્ડ નં.૬ના કોર્પોરેટરશ્રીઓની સફળ રજુઆતઃ તળાવમાંથી જળકુંભી (ગાંડી વેલ) દૂર કરવાની કામગીરી શરૂ
રાજકોટઃ મહાનગરપાલિકાની માર્કેટ સમિતિના ચેરમેન તેમજ વોર્ડ નં.૦૬ના કોર્પોરેટર શ્રીમતી દેવુબેન મનસુખભાઈ જાદવ તથા આ વોર્ડના અન્ય કોર્પોરેટર શ્રીમતી મંજુબેન દ્યનશ્યામભાઈ કુગસીયા, શ્રી પરેશભાઈ પીપળીયા તથા શ્રી ભાવેશભાઈ દેથરિયાએ રાંદરડા તળાવમાં પ્રદ્યુમન પાર્ક પાસે મોટા પ્રમાણમાં ઉગી નીકળેલ જળકુંભી(ગાંડી વેલ)ને સત્વરે દૂર કરાવવા, રોજ મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર પાઠવી, રજૂઆત કરવામાં આવેલ. જે રજૂઆત પરત્વે, મ્યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરાની સુચનાનુસાર, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મશીનની મદદથી, રાંદરડા તળાવમાં પ્રદ્યુમન પાર્ક પાસે મોટા પ્રમાણમાં ઉગી નીકળેલ જળકુંભી(ગાંડી વેલ)ને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. તે વખતની તસ્વીર આ વિસ્તારમાં આસપાસના લતાવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.