રાજકોટ
News of Thursday, 23rd September 2021

ગાંધીગ્રામ ઋષીવાટીકામાં સંદિપભાઇ ભુપતાણીનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૩: ગાંધીગ્રામ ધરમનગર મેઇન રોડ પર ઋષી વાટીકામાં રહેતાં સંદિપભાઇ શાંતિલાલ ભુપતાણી (વણિક) (ઉ.વ.૩૭) બિમારીથી પથારીવશ હોઇ સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. મૃતક બે ભાઇમાં મોટા હતાં. કેટલાક મહિનાથી બેડ રેસ્ટ પર હતાં.

(12:45 pm IST)