રાજકોટ
News of Monday, 23rd September 2019

'દાંડિયા નાઇટ'માં ખેલૈયાઓ ખીલી ઉઠયા : જાથાના જયંતભાઇએ બીરદાવ્યા

રાજકોટ : ક્રિએટ ઇન્ડિયા એડવર્ટાઇઝિંગ દ્વારા કાલાવડ રોડ પર આવેલા કર્ણાવતી પાર્ટી લોન્સ ખાતે 'દાંડિયા નાઇટ'નું એક દિવસીય વેલકમ નવરાત્રીનું આયોજન થયું હતું. આ પ્રસંગે ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન -જયંતભાઇ પંડયા રજવાડી કલબના વિશેષ અતિથિ બન્યા હતા. જયંતભાઇએ આ પ્રસંગે રજવાડીના તમામ ખેલૈયાઓને અંધશ્રદ્ધાથી દૂર રહેવા અને છેતરાવાથી દૂર રહેવા અંગે ઉદ્બોધન કર્યું હતું. દાંડિયા નાઇટના આયોજક પ્રશાંત જોષી, મૌલિક જોશી, જાવેદખાન પઠાણ, જે.પી. હિરાણી પણ હાજર રહ્યા હતાં અને નિર્ભયભાઇ જોશી દ્વારા વિજ્ઞાન જાથાના ચેરમેનનું પુષ્પગુચ્છ આપી અભિવાદન કરાયું હતું. સમગ્ર દાંડિયા નાઇટના આયોજનને સફળ બનાવવા રજવાડી ફેમીલી કલબના પ્રેસિડેન્ટ-મનીષભાઇ પ્રજાપતિએ જહેમત ઉઠાવી હતી.

(3:53 pm IST)