વોર્ડ નં.૩માં પેવીંગ કામનો પ્રારંભ : ગાયત્રીબા વાઘેલાના પ્રયત્નો સફળ
રાજકોટ : શહેરના વોર્ડ નં.૩મા઼ પરમેશ્વર પાર્ક શેરી નં.ર બંધ શેરીમાં ઘણા સમયથી લોકોની માંગણી ઇન્ટરલોકીંગ પેવીંગ બ્લોક નાખવાની હતી.વિસ્તારના લોકોની લાગણી ધ્યાને લઇ જાગૃત કોર્પોરેટર શ્રીમતી ગાયત્રીબા વાઘેલા દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી શેરીને પેવીંગ બ્લોકથી મઢવાની કામગીરીનો પ્રારંભ કરાવેલ હતો. જેમાં વિસ્તારના સ્થાનીક આગેવાનો, મહીલાઓ અને લતાવાસીઓની બહોળી ઉપસ્થિતી વચ્ચે કોંગ્રેસના આગેવાન એડવોકેટ અશોકસિંહ વાઘેલાએ ખાત મુર્હુત કરી કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. આ ખાતમુર્હુતમાં દક્ષાબા, નીલુબેન, નેહલબેન,પાડેજી, હીરાબેન, ગીતાબેન, પારૂલબેન, પ્રિતીબેન, સીમાબેન, શીલાબેન, રીટાબેન, રીનાબેન, રોહીતભાઇ, રવીભાઇ, નાથાબાપા, નરેન્દ્રસિંહ, કિરણબા, હેમાબેન, કાજલબેન, ભારતીબા, યજુવેન્દ્રસિંહ, મયુરસિંહ, મયુરભાઇ, શ્યામભાઇ, પ્રવિણસિંહ, વાઘેલાભાઇ સહિતના લતાવાસીઓ, કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.