રાજકોટ
News of Monday, 23rd September 2019

પારેવડામાં નાગજીભાઇ ચાવડાને બે દારૂડીયાએ ધોલધપાટ કરી લીધી

'અહિથી શું નીકળ્યા?' કહી બે અજાણ્યા તૂટી પડ્યા

રાજકોટ તા. ૨૩: કુવાડવાના પારેવડા ગામે રહેતાં નાગજીભાઇ બોઘાભાઇ ચાવડા (કોળી) (ઉ.૫૭) પર વાદીપરા ગામ પાસે બે અજાણ્યા શખ્સોએ હુમલો કરી ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે રાજકોટ ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી.નાગજીભાઇના કહેવા મુજબ પોતે વાડીએ જતાં હતાં ત્યારે રસ્તામાં બે શખ્સ મળ્યા હતાં. તેણે દારૂ પીધો હોય તેવા લાગતાં હતાં. પોતાને જોઇ બંનેએ 'અહિથી શું નીકળ્યા?' તેમ કહી ગાળો દઇ હુમલો કર્યો હતો.

(12:06 pm IST)