રાજકોટ
News of Monday, 23rd July 2018

લક્ષ્મીનગર નાલાનુ ફરી કામ શરૂ : એક તરફનો રસ્તો બંધઃ લોકોને હાલાકી

રાજકોટઃ   મધ્ય રાજકોટ અને નાનામવા વિસ્તારને જોડતા લક્ષ્મીનગર નાલામાંથી પસાર થતા લાખો શહેરીજનોને ચોમાસામાં વરસાદી પાણી ભરાવાથી, રસ્તા પર ગાબડા પડવાના  કારણે હાલાકીનો સામનો કરવો પડે છે. દરમિયાન તંત્ર દ્વારા આ નાલાનો રસ્તા પર ફરી  કામ શરૂ કરતા એક તરફનો રસ્તો બંધ કરવામાં આવતા લોકોમા ં રોષની લાગણી ફેલાઇ છે. તંત્ર દ્વારા વ્યવસ્થીત કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ થઇ રહી છે. ઉપરોકત તસ્વીરમાં નાલનું કામ શરૂ કરવામાં આવતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો તે નજરે પડે છે.(તસ્વીર-સંદિપ બગથરીયા) 

(3:58 pm IST)