રાજકોટ
News of Saturday, 23rd June 2018

જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા યોગ સપ્તાહની ઉજવણી

રાજકોટ :. જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. ભાનુ મેતાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના ગામો અને શહેરી વિસ્તારોમાં તા. ૨૧ થી ૨૭ જૂન સુધી વિશ્વ યોગ દિવસ અંતર્ગત યોગ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત યોગ નિર્દશન અને રોગ પરત્વે યોગથી થતા લાભ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. આ માટે જિલ્લાના આયુર્વેદ અને હોમિયોપેથીક મેડીકલ ઓફિસરો જહેમત ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લાની દરેક પ્રાથમિક શાળામાં એક-એક શિક્ષકને યોગ શિક્ષક બનવા માટે તાલીમ આપવામાં આવી હતી જે તસ્વીરમાં નજરે પડે છે.(૨-૧૭)

(4:08 pm IST)