આર્થિક સંકડામણથી કંટાળી ભરતભાઇ ધંધુકીયાનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત
અટીકા ફરાક પાસે બનાવઃ એક માસ પહેલા નાનાભાઇએ તે જગ્યાએ આત્માહત્યા કરી'તી
રાજકોટ, તા.૨૩: અટીકા ફાટકા નજીક આર્થીક સંકડામણના કારણે કુંભાર યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ અટીકા ફાટક નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી એક અજાણ્યા યુવાને આપઘાત કરી લીધો હોવાની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ મલેક અને રૂહાભાઇએ સ્થળપર પહોંચી મૃતકની ઓળખી મેળવવા તપાસ આદરી હતી. જેમાં ઘટના સ્થળેથી મળેલાબાઇક અને તેના ખીસ્સામાં પાકીટમાં મળેલા લાયસન્સના આધારે મૃતક ભરતભાઇ ભીખુભાઇ ધંધુકીયા(ઉ.વ.૨૬)(રહે. બાપા સીતારામ મંદિર નજીક ૪૦ ફૂટ રોડ)હોવાનું કંપનીમાં નોકરી કરતા હતા. આઠ દિવસ પહેલા તેને છુટા કરી દેવાયા હતા. તે બે ભાઇમાં મોટા હતા. ૧૫ દિવસ પહેલા તેને છાતીમાં દુઃખાવો ઉપડતા જામનગર સારવાર માટે ગયા હતા. પિતા પણ બિમાર હોઇ તેથી આર્થીક સંકડામણના કારણે પગલુ ભર્યુ હોવાનું ખુલ્યુ હતું. એક માસ પહેોલા તેના નાનાભાઇએ અટીકા ફટક પાસે આપઘાત કર્યો હતો. એજ સ્થળે ભરતભાઇ આત્મ હત્યા કરી લીધી હતી.(૨૨.૧૫)