દારૂના ગુન્હામાં ચાર વર્ષથી ફરાર સોહીલ ઉર્ફે પપ્પુ જંગલેશ્વરમાંથી પકડાયો
પેરોલ ફરલો સ્કવોડે દબોચ્યો
રાજકોટ તા. ર૩ :.. જંગલેશ્વરમાંથી ક્રાઇમ બ્રાંચે કબ્જે કરેલા વિદેશી દારૂના કેસમાં ચાર વર્ષથી ફરાર શખ્સને પેરોલ ફરલો સ્કવોડે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાંચે કબ્જે કરેલા વિદેશી દારૂના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો શખ્સ જંગલેશ્વરમાં આવ્યો હોવાની પેરોલ ફરલો સ્કવોડના એ. એસ. આઇ. ફીરોઝભાઇ શેખ, હેડ કોન્સ. રાજદીપસિંહ ચૌહાણ અને કોન્સ. યુવરાજસિંહ રાણાને બાતમી મળતા જંગલેશ્વર ખ્વાજા એપાર્ટમેન્ટ સામેથી સોહિલ ઉર્ફે પપ્પુ સતારભાઇ ભૈયાર (ઉ.વ.૩૧) (રહે. જંગલેશ્વર શેરી નં. ૪) ને પકડી લીધા હતા. આ કામગીરી પીએસઆઇ બી. ટી. ગોહીલ, એએસઆઇ ફીરોઝભાઇ શેખ, ઝહીરભાઇ, હેડ કોન્સ. જયદીપસિંહ, કો. અનિલસિંહ, સીરાઝભાઇ, યોગેન્દ્રસિંહ, દિવ્યરાજસિંહ, મયુરસિંહ, યુવરાજસિંહ તથા શાંતુબેન દ્વારા કરવામાં આવી હતી.