રાજકોટ
News of Saturday, 23rd May 2020

સોમનાથ મહાદેવજીને ઓનલાઇન ધજા ચડાવતા શિવભકત મહેશ રાજપૂત

દર અમાસના દિવસે સોમનાથ મહાદેવજીને ધજા ચડાવવા સંકલ્પ લીધો છે

રાજકોટ, તા. ર૩ :  શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રી મહેશભાઇ રાજપૂત દ્વારા ગઇકાલે તા. રરને અમાસ નિમિત્તે દ્વાદશ જયોતિલિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવજીને ધ્વજા રોહણ કરવા સંકલ્પ કર્યો હતો. તેઓ દર અમાસના દિવસે ધજા ચડાવવા સંકલ્પ કરેલ છે. ત્યારે હાલ કોરોના મહામારીના પગલે લોકડાઉનની સ્થિતિ હોય. છેલ્લા બે માસથી ધજારોહણ થતુ ન હતું. હવે ઓનલાઇન ડીઝીટલ દર્શન શરૂ થવાથી મહેશભાઇ રાજપુત દ્વારા પોતાના નિવાસસ્થાનેથી ઓનલાઇન સોમનાથ મહાદેવજીને ધ્વજા ચડાવી તેઓનો સંકલ્પ પૂર્ણ કરેલ છે તેમજ કોરોના મહામારી ઝલદી ખતમ થઇ જાય અને જાનહાનિ ટળે તેવી ભોળિયાનાથ પાસે પ્રાર્થના કરી હતી.

(3:29 pm IST)