રાજકોટ
News of Saturday, 23rd May 2020

આનંદનગર જીઆઇડીસીમાં નંદનીને પિતા ભરતભાઇએ માથામાં માટલુ ફટકાર્યુ

રાજકોટ તા. થોરાળા આનંદનગર જીઆઇડીસીમાં પાણીના ટાંકા પાસે રહેતી નંદની ભરતભાઇ કોરડીયા (ઉ.વ.૧૪)ને સાંજે તેના પિતા ભરતભાઇએ માથામાં પાણીનું માટલુ ફટકારી ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી.

જંગલેશ્વરમાંઙ્ગપરવિનબેન પણ ધોકાથી હુમલો

જંગલેશ્વર-૧માં રહેતી પરવીનબેન અયુબ શેખ (ઉ.૨૫)ને રાતે દસેક વાગ્યે ઘર નજીક જાનુભાઇ ગામેતીએ ઝઘડો કરી ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ભકિતનગર પોલીસને જાણ કરાઇ હતી. જો કે ફરિયાદ નોંધાય એ પહેલા રજા લીધી હતી.

(2:44 pm IST)