રાજકોટ
News of Saturday, 23rd May 2020

રાજકોટમાં ઈદની નમાઝ મુસ્લિમ બિરાદરો ઘરમાં રહીને અદા કરે:અગ્રણીઓ અને પોલીસની અપીલ

રાજકોટ: આગામી રમઝાન ઇદની નમાઝ મુસ્લિમ બિરાદરો હાલની કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઘરમાં જ અદા કરે તેવી અપીલ મોચી બજાર ખાડા વિસ્તારમાં મુસ્લિમ અગ્રણી ફારૂકભાઈ બાવાણી,  હાજી હુસેન સમા,  દિલાવરભાઈ જસરાણા દ્વારા એ ડીવીઝન પોલીસની સાથે રહી કરવામાં આવી હતી. તેમજ આસિફભાઇ સલોત દ્વારા રામનાથ પરા,  હુસૈની ચોક, ગરુડ ગરીબ ચોક વિગેરે વિસ્તારમાં આ મુજબની અપીલ માઈકથી કરવામાં આવી છે. તેમ પીઆઇ સી.જી. જોશીએ જણાવ્યું છે

(7:26 pm IST)