નરેન્દ્રભાઈની જીતથી ખૂબ જ આનંદ, મોદીની અને પોતાની પીડા દૂર થઈઃ પૂ. દયાનંદગીરીબાપુ
જામનગર, તા. ૨૩ :. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામના દેવળીયા રોડ ઉપર લાખો લોકોના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી મહાકાળી આશ્રમના મહંત પ.પૂ. દયાનંદગીરીજી મહારાજે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો જય જયકાર થતા આ વિજયને વધાવ્યો હતો.
પૂ. દયાનંદગીરીજી મહારાજે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે મોદીની જીતથી ખૂબ જ આનંદ થયો છે. દેશને વિકાસ તરફ આગળ લઈ જતા નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન મળ્યા છે જે આનંદની વાત છે. આ જીતથી મોદીની અને પોતાની પીડા દૂર થઈ છે.
પૂ. દયાનંદગીરીજી મહારાજે ભાજપના વિજયના વધામણા કર્યા હતા અને હજુ વધુ દેશ આગળ વધે તેમજ લોકોને જુદી જુદી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તત્પર રહેશે તેવી આશા વ્યકત કરી હતી.