સુરેન્દ્રનગરના રતનપરમાં હનીફ ભટ્ટી પર છરીથી હુમલોઃ રાજકોટ ખસેડાયો
જુના મનદુઃખમાં ઇકબાલ, મુસ્તાક અને અલ્તાફે હુમલો કર્યો
રાજકોટ તા. ૨૩: સુરેન્દ્રનગરના રતનપરમાં સરકીટ હાઉસ નજીક રહેતાં અને નવા બનતા મકાનોની સાઇટ પર દેખરેખનું કામ કરતાં હનીફ ઉસ્માનભાઇ ભટ્ટી (ઉ.૩૫) નામના યુવાનને રાત્રે રતનપર માર્કેટમાં રાજુભાઇ રસગુલ્લાવાળાની દૂકાન પાસે હતો ત્યારે પાનની દૂકાનવાળા ઇકબાલ, તેના પુત્ર મુસ્તાક અને સાથેના અલ્તાફે મળી માર મારી તેમજ ઇકબાલે છરીથી હુમલો કરી ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
હનીફના કહેવા મુજબ પોતાને ચારેક વર્ષથી ઇકબાલ સાથે મનદુઃખ ચાલે છે. પોતે રાત્રે તેની દૂકાને સિગારેટ લેવા ગયો હતો અને રૂ. સોની નોટ આપતાં ઇકબાલે તમે મિંયાણા જ ખાલી છરી રાખી શકો? તેમ કહી સીધો હુમલો જ કરી દીધો હતો. સુરેન્દ્રનગર પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.