રાજકોટ
News of Wednesday, 23rd May 2018

જળમુખી મિત્ર મંડળ દ્વારા દ્વારા છાસનું પરબ

કાળજાળ ગરમીના દિવસોમાં લોકોને ટાઢક કરાવવા લોહાણાપરા મેઇન રોડ પર કાર્યરત જળમુખી મિત્ર મંડળ દ્વારા 'શ્રી જલારામ બાપા છાસનું પરબ' શરૂ કરાયુ છે. જેના પ્રારંભ સમયે ધારાશાસ્ત્રી તુલસીદાસ ગોંડલીયા, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં. ૩ ભાજપ પ્રમુખ હેમુભાઇ પરમાર, મુસ્લિમ અગ્રણી ઓસમાણભાઇ જશરાયા, દાસભાઇ તેમજ લતાના અગ્રણી પરેશભાઇ ત્રિવેદી, દીલીપભાઇ જોષી, વસંતભાઇ બગડાઇ વગેરે ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવવા મંડળ પ્રમુખ જયસુખ દક્ષિણી, બાલાભાઇ રાવ, નીતિનભાઇ સાતા, સુરેશભાઇ પુજારા, જીતુભાઇ શીંગાળા, જતીનભાઇ, મચ્છાભાઇ, કાનાભાઇ કેળાવાળા, કિશોરભાઇ સોમૈયા, જનકભાઇ ઉનડકટ, વિશાલભાઇ વગેરેએ જહેમત ઉઠાવી હતી. તેમ કિશોર સોમૈયા (મો.૯૯૨૪૦ ૨૩૩૭૪) ની યાદીમાં જણાવાયુ છે.

(4:33 pm IST)