રાજકોટ
News of Thursday, 23rd March 2023

કમળાપુર નજીક બાઇક સ્‍લીપ થઇ જતાં પતિ પાછળ બેઠેલા વૃધ્‍ધા પુરીબેન કાનગડનું મોત

ચોટીલાના વડાળીના વૃધ્‍ધા દવા લઇ ઘરે જતાં હતાં: રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૩: ચોટીલાના કમળાપુર નજીક બાઇક સ્‍લીપ થઇ જતાં પતિ પાછળ બેઠેલા ચોટીલાના વડાળી ગામના પુરીબેન દાનાભાઇ કાનગડ (ઉ.વ.૭૩)ને ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું.  પુરીબેન અને પતિ દાનાભાઇ ભગવાનજીભાઇ કાનગડ ૧૮મીએ કમળાપુર ગામે દવા લેવા ગયા હતાં. ત્‍યાંથી બંને બાઇક પર પરત વડાળી જતાં હતાં તે વખતે રસ્‍તામાં બાઇક સ્‍લીપ થતાં પુરીબેનને ઇજાઓ થતાં રાજકોટ સારવારમાં હતાં. અહિ ગત મોડી રાતે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભાડલા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર વૃધ્‍ધાને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે.

(11:24 am IST)