રાજકોટ
News of Saturday, 23rd March 2019

રાધેશ્યામ સોસાયટીમાં ભરવાડ બંધુ સહિત ત્રણને ચાર શખ્સોએ માર મારી છરી ઝીંકી

મહિલાને ગાળો આપવા બાબતે ડખ્ખોઃ પિન્ટુ ઉર્ફે નિતેષ, બહાદુર અને તેજસ સારવારમાં: શિવુભા સહિત ચાર સામે ફરિયાદ

રાજકોટ, તા. ૨૩ :. કિશાન ગૌશાળા પાસે રાધેક્રિષ્ના સોસાયટીમાં મહિલાને ગાળો આપવા બાબતે ભરવાડ બંધુ સહિત ત્રણ યુવાનને ચાર શખ્સોએ માર મારી છરીથી હુમલો કરતા ફરીયાદ થઈ છે.

મળતી વિગત મુજબ રામનાથપરા શેરી નં. ૫ મા રહેતા પિન્ટુ ઉર્ફે નિતેષભાઈ જગાભાઈ ટોળીયા (ઉ.વ. ૩૪) અને તેજસ ગોપાલભાઈ ટોળીયા (ઉ.વ.૨૮) પોતાના ઘરે હતા ત્યારે કિશાન ગૌશાળા પાસે રાધે ક્રિષ્ના સોસાયટીમાં રહેતા બહાદુરભાઈ જગાભાઈ ટોળીયા (ઉ.વ. ૨૬)ના પત્ની રંજુબેન સાથે શિવુભા તથા ત્રણ અજાણ્યા શખ્સો બોલાચાલી કરતા હોય તે બાબતે બહાદુરભાઈના પત્ની રંજુબેને ફોન કરી જાણ કરતા પિન્ટુ ઉર્ફે નિતેષભાઈ અને તેજસ તથા બહાદુરભાઈએ ત્યાં પહોંચી શિવુભાને સમજાવતા ચારેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈ ઢીકાપાટુનો માર મારી છરી વડે હુમલો કરી ઈજા કરી હતી. બાદ ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે બી-ડિવીઝન પોલીસે તપાસ આદરી છે.

(3:37 pm IST)