રાજકોટ જેલમાંથી નાસી છુટેલ ભાવનગરનો કેદી ઝડપાયો
ભાવનગર તા ૨૩ : રેન્જના પોલીસ નાયબ મહાનિરીક્ષક અશોકકુમાર એ ફરાર થયેલ કેદીઓ તથા નાસતા ફરતા આરોપીઓ ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને તેના ભાગરૂપે આજરોજ ભાવનગર રેન્જના પોલીસસબ ઈન્સપેકટરશ્રી ડી.ડી. પરમાર ના માર્ગદર્શન અને સુચનાથી આર.આર.સેલના સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે બોરતળાવ પોલીસ ઇ.પી.કો. કલમ ૩૦૬ વિ.મુજબનાગુન્હાનાકામે કેદી નાસીરભાઇ ઉર્ફે ભુરો સલીમભાઇ પઠાણ ઉ.વ.૩૨ રહેવાસી કુંભારવાડા, મોતીતળાવ શેરી નંે૬, બોરડીવાળી શેરીવાળો ખાંચો ભાવનગરવાો કેદી નંબર ૪૪૭૦૧ થી કેદનીસજા રાજકોટ મધ્યસ્થ જેલમાં ભોગવી રહેલ હતો, અને નામદાર ગુજરાત હાઇકોર્ટનાહુકમ નંબર ૮૭/૨૦૧૮ તારીખ ૨૧/૦૧/૨૦૧૯ થી પ્રથમ દિન-૧૦ ના બાદમાં તારીખ ૧૧/૦૨/૨૦૧૯ ના હકુમથી ૨ વીક (૨ અઠવાડીયા) ના વચગાળાના જામીન ઉપર છુટેલ હતો, જેને તેના ઘર પાસેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી, રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પોલીસ જાપ્તા સાથે મોકલી આપવા તજવીજ કરેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમારની સુચનાથી હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા જીતેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયા જોડાયા હતા.