રમતેશ્વર મંદિર ગૌશાળામાં ભાગવત કથા
ગોંડલ રોડ ઉપર રાજકમલ પેટ્રોલ પંપ પાસે આવેલ શ્રી રમતેશ્વર મહાદેવ ઉદાસીન આશ્રમ સંચાલિત રમતેશ્વર ગૌશાળાના લાભાર્થે તાજેતરમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરાયુ હતુ. દરમિયાન કૃષ્ણ જન્મ ઉત્સવની ધામેધુમે ઉજવણી કરાઇ હતી. અજભાઇ શાસ્ત્રીના વ્યાસાસને યોજાયેલ આ કથામાં કચ્છથી પૂ. શ્રી યોગી દેવનાથ બાપુ, હિમાચલથી પૂ. શ્રી પુષ્પાગીરીજી, હરીયાણા કુરૂક્ષેત્રથી મહંતશ્રી રામદાસબાપુ, ભચાઉથી પૂ. શ્રી આત્મનંદજી, રાજસ્થાનથી પૂ. શ્રી રઘુવીરદાસજીએ ઉપસ્થિત રહી આશીર્વચનો આપ્યા હતા. સમગ્ર કથા આયોજન માટે નિલેશભાઇ ગઢવી, લક્ષ્મણભાઇ ગઢવી, કૌશિકભાઇ ગઢવી, હમીરભાઇ ગઢવી, દિલીપસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ, અશ્વિનભાઇ દવે, નિલેષભાઇ બગથરીયા, મનોજભાઇ તેરૈયા, વિક્રમસિંહ જાડેજા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. કથા દરમિયાન ઉજવાયેલ કૃષ્ણ જન્મોત્સવ સમયની તસ્વીરો નજરે પડે છે.