News of Tuesday, 23rd February 2021
ઈવીએમ મશીન ખોલવા માટે ભાજપના ઉમેદવારોને બોલાવ્યા, કોંગ્રેસના ઉમેદવારોને કેમ નહિ?: કોંગ્રેસની ધમાલ
રાજકોટઃ એવીપીટી ખાતે મતગણતરીના પ્રારંભ સમયે મતપેટીઓ ખોલવા માટે તંત્ર દ્વારા માત્ર ભાજપના ઉમેદવારોને જ બોલાવવામાં આવ્યા હતા. જયારે કોંગ્રેસના ઉમેદવારોને બોલાવવામાં ન આવતા કોંગ્રેસના વોર્ડ નં.૧૦, ૧૧, ૧૨ના ઉમેદવારો વિજય વાંક, મનસુખભાઈ કાલરીયા, કનકસિંહ જાડેજા સહિતનાએ અધિકારીઓ સાથે ભારે માથાકૂટ કરી હતી.(તસ્વીરઃ અશોક બગથરીયા)
(11:52 am IST)