થોરાળાના તોૈસિફ ઓડિયાની હત્યામાં ચોથા આરોપી સુરેશ મુછડીયાની ધરપકડ
રાજકોટ તા. ૨૩: થોરાળામાં રહેતાં અને કારખાનામાં કામ કરતાં તોૈસિફ સલિમભાઇ ઓડિયા નામના પીંજારા યુવાનનું સિવિલ હોસ્પિટલમાંથી તા. ૧૨ના રોજ અપહરણ કરી કાળીપાટ લઇ જઇ માર મારવામાં આવ્યા બાદ સારવારમાં મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ મામલે પ્ર.નગર પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓને પકડી લીધા હતાં. વધુ એક શખ્સ સુરેશ પુનાભાઇ મુછડીયા (રહે. ખોડિયારપરા કાનાભાઇના મફતીયાપરા) નામના કારખાનેદારને પણ પકડી લેવાયો છે. આ શખ્સ છરીને ધાર કાઢવાનું કારખાનુ ચલાવે છે.
પોલીસે અગાઉ જયસુખ પુનાભાઇ રાઠોડ, દિપક ઉર્ફ દિપો રાઠોડ અને ગંજીવાડાના અજય કરસનભાઇ રાઠોડની ધરપકડ કરી હતી. ચોથા આરોપી તરીકે સુરેશનું નામ ખુલતાં તેને પણ દબોચી લઇ કડક કાર્યવાહી કરવામાં આવી છે. પી.આઇ. બી.એમ. કાતરીયા, સંજયભાઇ દવે, વિરભદ્રસિંહ અને ટીમ વિશેષ તપાસ કરે છે. (૧૪.૧૦)