રાજકોટ
News of Saturday, 23rd January 2021

સંઘના વડા મોહન ભાગવતજી રાજકોટમાં : બે દિવસ કાર્યકર્તાઓ સાથે ચર્ચા - વિચારણા

રાજકોટ : આરએસએસના વડા શ્રી મોહન ભાગવતજી ગઈકાલે સાંજે રાજકોટ આવી પહોંચ્યા છે : તેઓને પ્રવિણસિંહ રાઠોડના નિવાસસ્થાને ઉતારો અપાયો છે : સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે આજે અને આવતીકાલે પણ સંઘના કાર્યકરો સાથે બેઠક કરનાર છે અને છેલ્લા છ મહિનામાં સંઘ દ્વારા શું - શું કાર્યવાહી કરવામાં આવી તેમજ લોકડાઉન દરમિયાન પણ શું - શું કામગીરી કરવામાં આવી તે સહિત સંઘના અનેક પ્રશ્નો બાબતે કાર્યકર્તાઓ સાથે ચર્ચા - વિચારણા કરનાર છે અને આવતીકાલે સાંજે તેઓ પરત રવાના થશે તેમ જાણવા મળે છે.

(12:10 pm IST)