મયુરભાઈ માધવાણી પરીવારજનો સાથે સૌરાષ્ટ્રના યાત્રાધામોની દર્શનયાત્રાએ
મરાસા સરોવર પોર્ટીકો હોટલની પણ મુલાકાત લીધી : હૃદયભીનુ સ્વાગત
રાજકોટ : હાલમાં જ વિશ્વના સુવિખ્યાત ઉદ્યોગ સાહસીકોમાંના એક ઉદ્યોગપતિ જે સાઉથ આફ્રિકાના દિગ્ગજ ઉદ્યોગપતિ જે મુળ પોરબંદરના અને વર્ષોથી આફ્રિકા, કેન્યા, યુગાન્ડા, કંપાલા અને બ્રિટનમાં વિશાળ પ્રમાણમાં બહોળો વ્યાપાર વ્યાપ ધરાવે છે એ શ્રી મયુરભાઈ માધવાણી ભારત આવેલ. આ ઉદ્યોગપતિ ભારતભરમાં સ્ટાર હોટલ ઉદ્યોગ - બિઝનેસમાં ૭૦૦ કરોડનું રોકાણ ધરાવે છે. તેમાની એક હોટલ લીમડા ચોક, રાજકોટ ખાતે 'મરાસા સરોવર પોર્ટીકો' સ્ટાર આવેલ છે. શ્રી મયુરભાઈના ભારત ખાતેના સાહસીક રોકાણના પગલે ભારતમાં પણ ઘણી આવક - રોજગારની તક ઉભી થયેલી અને બેરોજગારોને નોકરી અપાવવામા઼ સફળ રહ્યા. શ્રી મયુરભાઈની મરાસા હોસ્પિટાલીટી દ્વારા સાથે જોડાયેલી ઘણી બધી હોટલો જેમ કે મરાસા સરોવર શિરડીધામ, દક્ષિણભારતમાં તિરૂપતિમાં તથા હવે શરૂ થવા જઈ રહેલ બોધગયાની હોટલો પ્રવાસી સહેલાણીઓને એક આગવી તથા અલગ અલાયદી હોટલ સેવાઓ પૂરી પાડે છે. હાલમાં જ ભારત પ્રવાસે આવેલ શ્રી મયુરભાઈ માધવાણી તથા તેમના બહેન જયેન્દ્રાબેન રેશ્માવાલા તથા જયોત્સનાબેન ચન્દેએ ભારતના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળો દ્વારકા, કાગવડ ખાતેનું ઉમીયાધામ તથા વીરપુર શ્રી જલીયાણધામ દર્શનયાત્રા કરેલ તથા તેમની રાજકોટ ખાતે આવેલી મરાસા સરોવર પોર્ટીકો હોટલની પણ મુલાકાત લીધેલ. જે સમયે કંપનીના શ્રી અરૂણભાઈ પાઠક, હોટલના લાયઝન ઓફીસર શ્રી બીપીનભાઈ પોપટ (મો.૯૪૨૬૭ ૮૫૮૦૩) તથા હોટલના મેનેજર શ્રી દિપકભાઇ કોલ્હેકર વગેરે હોટલ સ્ટાફ દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ હોવાનું એક પ્રેસ યાદીમાં જણાવાયુ છે.