નકલંક રામદેવ સેવા ટ્રસ્ટ સંતકબીર રોડ દ્વારા જાન્યુઆરીમાં સર્વજ્ઞાતિય સમુહલગ્ન
મહંતશ્રી રવિદાસ બાપુના માર્ગદર્શન હેઠળ આયોજન
રાજકોટ,તા.૨૨: નકલંક રામદેવ સેવા ટ્રસ્ટ સંતકબીર રોડ દ્વારા આગામી તા.૧૭ જાન્યુઆરીના સર્વજ્ઞાતિય સમુહલગ્નનું આયોજન કરાયું છે. સંતકબીર રોડ ગોવિંદબાગ શાક માર્કેટ પાસે કાર્યરત નકલંક રામદેવા સેવા ટ્રસ્ટ દ્વારા આગામી તા.૧૭ જાન્યુઆરીના મંગળવારે રતનપર રામમંદિર સામેના મેદાનમાં સર્વજ્ઞાતિય સમુહલગ્નનું આયોજન કરેલ છે. જેમાં ૨૧ દિકરીઓને પરણાવાશે. આ માટે નામની નોંધણી ચાલુ છે.
મહંતશ્રી રવિદાસબાપુના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા દ્વારા સમયાંતરે અનાજ વિતરણ, અંધ અપંગ ગાયોને ઘાસ વિતરણ જેવી પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ સતત ૧૫માં સમુહલગ્ન છે. નામ નોંધણી કે વધુ માહિતી માટે મો.૯૮૨૫૬ ૭૦૭૮૧ ઉપર સંપર્ક કરી શકાશે. મહંતશ્રી રવિદાસબાપુ તેમજ નકલંક રામદેવ સેવા ટ્રસ્ટના આગેવાનો ચીમનભાઈ વેકરીયા, કાનભાઈ લુણાગરીયા, મનિષ કાકડીયા વગેરેએ જહેમત ઉઠાવી રહ્યા છે.