ડો.સૈયદના સાહેબનો ગુરૂવારે જન્મદિવસઃ વિજયભાઈએ સુરત જઈ શુભેચ્છા પાઠવી
રાજકોટઃ દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝ હોલીનેશ ડો.સૈયદના સાહેબ આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.)ના ૭૮માં જન્મ દિવસ તેમજ બાવનમાં દાઈ હીઝ હોલીનેશ ડો.સૈયદના અબુલ કાઈદ જાહર મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ (રી.અ.)ના ૧૧૧મો જન્મ દિવસ તા.૨૫ નવેમ્બર ગુરૂવારના રોજ આવે છે. આ નિમીતે રાજયના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સુરત ખાતે આગોતરી શુભેચ્છા પાઠવી હતી. ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.)એ તેમનું શાલ ઓઢાડી સન્માન કરેલ હતું.
ડો.સૈયદના સાહેબ તેમનો જન્મ દિવસ સુરત ખાતે ઉજવણી કરે છે. ત્યારે શ્રી રૂપાણી તેમની મુલાકાત લઈ શુભેચ્છા પાઠવતા હોય છે. જે તેઓએ સિલસીલો ચાલુ રાખેલ છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.)ને જન્મ દિવસની શુભેચ્છા પાઠવવા સુરત જઈ રહ્યાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે. તેમ શેખ યુસફઅલી જાહર કાર્ડસએ જણાવ્યું હતું.