સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાસ્ત્રી ધર્માનુરાગી
કમલેશભાઇ શાહ પરિવારને આંગણે મુમુક્ષુ રાજુભાઇ શાહના પાવન પગલાં
અજરામર સંપ્રદાયના સાધ્વી રત્ના, પૂ.નયનાકુમારીજી મ.સ., પૂ.ઓજશભાઇ મ.સ., પૂ.વત્સલાજી મ.સ.ની શુભ નિશ્રામાં મુમુક્ષુ આત્માનું શાહ પરિવારના આંગણે અભિવાદન
રાજકોટ,તા.૨૨: ધર્માનુરાગી કમલેષભાઈ શાહ,તપસ્વી રત્ના અ.સૌ.જાગૃતિબેન,શાસન પ્રેમી જીગ્નેશભાઈ, આગમ અભ્યાસુ સુનિતાબેન વગેરે શાહ પરિવારના સદ્દસ્યોએ મુમુક્ષુ યોગેશભાઈ ( રાજુભાઈ )શાહનું અહોભાવ સાથે અભિવાદન કરી શુભ ભાવ વ્યકત કરેલ.
પૂ.નયનાકુમારીજી મ.સ.એ કૃપાશિષ પાઠવતા કહ્યું કે સંયમ અંગીકાર કરી જિન શાસનનું નામ રોશન કરજો.પૂજય ઓજસબાઈ મ.સ.એ ફરમાવ્યું કે જિનેશ્રર પ્રરૂપિત ધર્મ જૈનો ઉપરાંત જન જન સુધી પહોંચાડવામાં નિમિત્ત્। બનજો.પૂજય વત્સલાજી મ.સ.એ પોતાના ભાવ વ્યકત કરતાં જણાવ્યું કે દેવલોકના અસંખ્ય દેવો ઝંખી રહ્યાં છે એવા દૂર્લભ સાધુપણાને અંગીકાર કરવા જઈ રહ્યાં છે તે બદલ તમોને અમારા સાધુવાદ - ધન્યવાદ છે.
આ શુભ અવસરે અજરામર સંદ્યના ટ્રસ્ટી હિતેષભાઈ તલસાણીયા,સિનિયર વિદ્ગાન એડવોકેટ સુરેશભાઈ દોશી,ધર્મ વત્સલા રંજનબેન અવલાણી,વૈયાવચ્ચ પ્રેમી જલ્પાબેન અવલાણી વગેરે ધર્મ પ્રેમી ભાવિકો ઉપસ્થિત રહી વૈરાગી આત્માનું તા.૨૦ ના શુભ દિવસે સન્માન કરી સંયમ તેમજ મહાવીરના ત્યાગ માર્ગની ભૂરી - ભૂરી અનુમોદના કરેલ.મુમુક્ષુ રાજુભાઈ શાહ સંસારમાં રહીને ધર્મ આરાધના સાથે મોટા ભાગનો સમય જીવદયાના સદ્દકાર્યોમાં વ્યતિત કરતાં. હવે,સંયમ અંગીકાર કરીને તેઓ યાવત્ જીવન છ કાય જીવોની રક્ષા કરશે.
અત્રે નોંધનીય છે કે પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રી તિર્થભદ્ર સૂરીશ્વરજી મ. સા.ની શુભ નિશ્રામાં મુમુક્ષુ યોગેશભાઈ (રાજુભાઈ) અમૃતલાલ શાહની પ્રવજયા - મહા ભિનિષ્ક્રમણ -દીક્ષા - સંયમ મુર્હૂત દિવસ તા. ૧૭/૦૨/૨૦૨૨, સંવત ૨૦૭૮, મહા વદ ૧, ગુરૂવારના મંગલ દિવસે ચેન્નાઈ (સાઉથ) મુકામે નક્કી થયેલ છે.
ગોં.સં.પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી,રાજકોટ અજરામર સંદ્ય પ્રમુખ મધુભાઈ ખંધાર,મહાવીર નગર સંદ્યના પ્રમુખ પ્રતાપભાઈ વોરા,જૈન ચાલ સંદ્યના પ્રમુખ પરેશભાઈ સંદ્યાણી,મોટા સંદ્યના પૂર્વ ટ્રસ્ટી સુશીલભાઈ ગોડા,જૈન એડવોકેટ જીગ્નેશભાઈ શાહ,શેઠ ઉપાશ્રય તથા જૈન પ્રોગ્રેસિવ ગ્રુપના જગદીશભાઈ શેઠ,જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળા, રાજકોટ અજરામર મહિલા મંડળ પ્રમુખ સારિકાબેન ખંધાર, રાજકોટ ઋષભદેવ સંદ્ય પૂત્રવધુ મંડળના પ્રમુખ સુનિતાબેન શાહ વગેરે ભાવિકોએ પૂ.મહાસતિજીઓના દર્શન - વંદન કરી ધન્યતા અનુભવેલ.
પ્રવિણભાઈ કોઠારીએ પૂ.મહાસતિજીઓને ગોંડલ સંદ્યમાં શેષકાળનો લાભ આપવા વિનંતી કરેલ. સાધ્વી રત્ના પૂ.ઓજસકુમારીજી મ.સ.એ ધર્મ સંદેશ પાઠવેલ.પૂ.નયનાકુમારીજી મ.સ.એ મંગલ પાઠ ફરમાવેલ.