રાજકોટ
News of Friday, 22nd October 2021

ઓશો સન્યાસીઓ 'અકિલા'ની મુલાકાતે

રાજકોટઃ ઓશો સાધક રાબીયામાં (દિલ્હી) અને સામીયામાં (કેરળ) તેમજ રાજકોટના  ઓશો સન્યાસીઓ અકિલા કાર્યાલયની  મુલાકાતે આવ્યા હતા. 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ઓશો વિષે અનેકવિધ વાતો કરી હતી. તસ્વીરમાં શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે રાબીયામાં, સામીયામાં તેમજ સર્વશ્રી જયસુખભાઇ કીયાડા, દિનેશભાઇ ચાંગાણી, દિલીપભાઇ પટેલ, ભીખાલાલ વોરા, ભરતભાઇ પટેલ, દિનેશભાઇ ભીમાણી, પ્રેમસ્વામી, રમેશભાઇ રૈયાણી (ઓશો કેશર ફાર્મ, નવા સજજન પર મોરબી) ઉપસ્થિત રહયા હતા.

(3:57 pm IST)