સોરઠીયા રાજપુત સમાજના ભાઈ- બહેનો માટે રવિવારે રંગોળી સ્પર્ધા
રાજકોટઃ શહેરમાં વસતા સોરઠીયા રજપુત યુવાનો દ્વારા કાર્યરત સોરઠીયા રજપુત યુવા શકિત દ્વારા શુભ દિપાવલી તહેવારને ઈન્દ્રધનુષી રંગ દ્વારા વધાવવા અને સોરઠીયા સમાજનાં ભાઈ- બહેનોમાં રહેલી કલાને પ્રોત્સાહીત કરવા દિવાળી તા.૨૭ને રવિવારનાં રોજ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. પ્રથમ ૧૦ વિજેતાઓને તા.૩ નવેમ્બરના રવિવારનાં રોજ સ્મૃતિ ચિન્હ આપી નવાજવામાં આવશે.
આ રંગોળી સ્પર્ધાને સફળ બનાવવા સોરઠીયા રજપુત યુવાા શકિતનાં નિકુંજ વાઘેલા, મુકુંદભાઈ રાઠોડ, પ્રતાપભાઈ ચૌહાણ, નિલેશભાઈ સોલંકી, અલ્પેશ ગોહીલ, દિવ્યેશભાઈ પરમાર, વિજયસિંહ ચૌહાણ, પૃથ્વીરાજરાજસિંહ ડોડીયા, ભાર્ગવ પઢીઆર તેમજ રંગોળી કન્વીર અભયભાઈ ચૌહાણ, વિરેન્દ્ર ડાભી, ચિરાગ પરમાર, લખન ચૌહાણ, અજય પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે મો.૯૨૬૫૦ ૦૬૪૦૫ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.