સરગમ પરિવારે નવરાત્રિને કર્યું બાય બાયઃ સિનિયર સિટીઝનો પણ ગરબો રમ્યા
રાજકોટઃ સરગમ પરિવારના સભ્યો માટે યોજાયેલા રાસોત્સવમાં યુવાધનની સાથે સાથે સિનિયર સિટીઝનો પણ ગરબે રમ્યા હતા. કુલ ૧૫૦ ઈનામો આપવામાં આવ્યા હતા.
આ રાસોત્સવ માણવા મધુભાઈ પરમાર, નેહલ શુકલ, મહેન્દ્રભાઈ ફળદુ, સુરેશભાઈ પટેલ, અમિતભાઈ ચૌહાણ, મનસુખભાઈ ધંધુકિયા, મનમોહન નંદા, ઘનશ્યામભાઈ પરસાણા, ઉષાબેન પટેલ, જસુમતીબેન વસાણી અને જયશ્રીબેન રાવલ વગેરે ઉપસ્થિત રહેલ. હીનાબેન દવે, માલાબેન કુંડલિયા, દર્શીતા કથરેચા, હેમલ ભટ્ટ, માયા પટેલ, રેશ્માબેન સોલંકી, શ્રધ્ધાબેન કોટડીયા અને અલકાબેન કામદારે નિર્ણાયક તરીકે સેવા આપી હતી. સરગમ પરિવારના ૧૫૦ કમિટી મેમ્બર્સને સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ ભરત સોલંકી, જયસુખભાઈ ડાભી, રાજેન્દ્રભાઈ શેઠ, કિરીટભાઈ આડેસરા અને રમેશભાઈ અકબરી ઉપરાંત લેડીઝ કલબના નિલુબેન મહેતા, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, વિપુલા હિરાણી, ભાવનાબેન મહેતા, ચેતનાબેન સવજાણી, આશાબેન ભુછડા, બીનાબેન પોપટ, અલકા ધામેલીયા, ગીતાબેન પરસાણા, જયશ્રીબેન વ્યાસ વગેરેએ જહેમત ઉઠાવી હતી.